ઉચે ઉડતો,
મુક્તતા મા વિહરતો,
પતંગ.....
કર્મ અને સાંખ્ય નો અનોખો સંગમ છે,
પતંગ ને આકશે તરતો મુકવો ,એ હદે કે તે પોતાને સ્વતંત્ર અસ્તિત્વ માને એ
કર્મયોગ,
અને મુક્તતા ના આભાસ મા પત્ંગ ની અદ્વૈત ,ઉર્ધવ,સત્ય ગતિ. અને તેનો અપૂર્વ આનન્દ.
સાંખ્યયોગ,
પણ
એક અને અન્ન્ય પરમેશ્વર પતંગ ના કર્મયોગ,
સાંખ્યયોગ મા વ્યાપ્ત છે.એટલુ જ નહી પતંગ ની ગતિ એ જ ,અને એના મા જ.આ સમજ એ
ભક્તિયોગ,
દરેક તબક્કો પરમેશ્વર મા જ રમણ છે.