માટી ની ભીની-ભીની સુગંધ શું સુચવે છે?
કોઇક સકારાત્મક બદલાવ................
આપણુ જીવન માટી ની આ મંદ-મંદ સુવાસ મા જ્ણાઇ જાય.બની શકે,
બની શકે આ બદલાવ.......
કારણ આપણુ જીવન પણ માટી નુ પ્રતિકાત્મક,ચૈતન્યમય રૂપ છે.
માટી નિર્દોષ છે.
સીધો હિસાબ જે વાવશો એ ઉગશે.
ખરેખર આખે આખી પ્રક્રુતિ આજ સિધ્ધાંત પર નભેલી જોવાય છે.
આપણુ ? જીવન પ્રક્રુતિ થી ક્યા ભિન્ન છે.?
જીવન ની પોતાની આગવી કોઇ સૂચક દિશા નથી હોતી. (હા પૂર્વ જન્મ મા કરેલા પ્રયત્નો જરૂર થી મદદરૂપ થઇ શકે છે,.......)
જીવન સુખ ને ખેચતુ નથી,કે દુ:ખ ને લાવતુ નથી.
તો જીવન ને કઇ રીતે મારી અવસ્થા નુ જવાબદાર ઠેરવી શકાય?
જે વાવશો તે ઉગશે.............................